Sunday, August 23, 2009

ભાગ્યમાં જે હોય છે તે થાય છે



દિલને ગમતીલો ઘાવ ત્યાં ઘેરો  મળ્યો
માત્ર એકાંત મળ્યુંકોઈ ઉમેરો  મળ્યો



આપણા યુગનું  કમભાગ્ય છે કેવું ભારે
કે ગયા ચાંદ સુધી ને કોઈ ચહેરો  મળ્યો.

આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.

આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?

લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?

દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ  કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

n  આદિલ

No comments: