Saturday, September 30, 2006

અંજલી

વર્ણવવા શું શબ્દમાં શબ્દ નથી મ્હારી પાસ
મનને વાચા હોત તો નરસિંહ અદેખાઇ ખાત

ધડયો છે જેણે મને તેને સમર્પિત છે આજ
માતપિતા જે માહરા શિવશક્તિ મ્હારી માટ

બાલ્યકાળથી આજસી ખદા છે જે મ્હારી સાથ
પીઠબળ છે માહ્રરું ગર્વની છે વાત

અણદેખી કરી પ્રભુ અનેક વિટંબના જેની માટ
તે હું અજ્ઞાની જીવડો ભુલીશ નઇ કોઇ કાજ

સાચ્વ્યો વ્હાલો જીવથી ઢાલ બની ખમી વાર
જીવ સંગ્રામમાં રક્શયો રવિ દઇ કાળ ને મ્હાત

પાંગરેલ છોડ કેળ્વ્યો શિક્ષક બનીને આપ
જતન કર્યુ પ્રેમથી કર્યો તેજસ્વી આફતાબ

ક્ષમા કરી છે અનેક ભુલો અક્ષમ્ય જે ગ્રંથમાંહ્ય
પુનરાવર્તિત નહીં કરું ભલેને જીવ હોમાય

દુ:ખના દાહડાં વિત્યાં હવે સુખશાંતિ સચવાય
સપનાં પુર્ણૅ થશે વિભા રધુકુળ પ્રણ ન લજવાય

આશિષ્ આપો પ્રભુ કુળદિપ બનું આ જ ઘરમાંય
શ્રવણ બની આવિશ હું નામ કરીશ જગમાંહ્ય

વર્ણવવા શું શબ્દમાં શબ્દ નથી મ્હારી પાસ
મનને વાચા હોત તો નરસિંહ અદેખાઇ ખાત

3 comments:

vishal said...

hey dear friend
nice poem.

Anonymous said...

nice poem very good ,

Anonymous said...

very nice poem ravi .